![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
7 episodes
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
Khas Khabar Rajkot FM News Khas Khabar FM News
-
- News
News, Breaking News,
-
khaskhabar Rajkot FM News Dt.17-9-2020
khaskhabar Rajkot FM News Dt.17-9-2020
-
khaskhabar Rajkot FM News Dt.15-9-2020
દેશભર સહિત ગુજરાતમાં હાલ કોરોનાના સંક્રમણના કારણે શાળા-કોલેજો બંધ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપ્યું છે.ડે.સીએમ નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે.
જન્મદિને નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતને 'મીસ' કરશે? તા.17 ના મુલાકાતની શકયતા નથીવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન તા.17 ના રોજ છે અને ભાજપે તેની એક સપ્તાહ લાંબી ઉજવણી પણ કરી છે.પરંતુ દર વર્ષની માફક આ વર્ષે વડાપ્રધાન શ્રી મોદી તેમનાં માતાના આર્શીવાદ લેવા ગાંધીનગર વે તેવી શકયતા નથી.હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને તેથી વડાપ્રધાન માટે ગાંધીનગર આવવુ મુશ્કેલ છે. શ્રી મોદી દર વર્ષે તેમનાં જન્મદિને માતાના આર્શીવાદ લેવા રૂબરૂ આવવાનું ચુકતા નથી જોકે શ્રી મોદી તા.31 ઓકટોબરનાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ગુજરાત આવશે તે નિશ્ચીત બની રહ્યું છે.
સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદમોરબી- જૂનાગઢ- ઉપલેટામાં બે ઇંચ : ટંકારામાં પોણા બે ઇંચ : મેંદરડા- અમરેલી-જામનગર-ખંભાળીયા-ભુજ-માળિયા મિયાણા- વાંકાનેર-વિસાવદરમાં એક ઇંચ વરસાદછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ કર્યો હોય સૌરાષ્ટ્ર તરબોળ થયું છે. પાંચ મિનિટની મુલાકાતમાં અક્ષય કુમારને મળી હતી ત્રણ ફિલ્મો, પણ રહી હતી ફ્લોપ અક્ષયકુમારે અમેરિકન એડવેન્ચર શો બેર ગ્રિલ્સના શો ઇન ટુ ધ વાઇલ્ડમાં કામ કર્યું હતું. આ શોમાં અક્ષયે ઘણા જોખમોનો સામનો કર્યો હતો અને સાથે સાથે પોતાના પરિવાર, કરિયર અને જીવન વિશે પણ વાત કરી હતી. ગ્રિલ્સના સવાલ પર અક્ -
khaskhabar Rajkot FM News Dt.12-9-2020
khaskhabar Rajkot FM News Dt.12-9-2020
-
Khas Khabar Rajkot FM News 11-09-2020
આખરે ભારતમાં કોરોના રસીની ટ્રાયલ અટકી,દેશમાં 17 સ્થળે ચાલતી ટ્રાયલ રોકવા એસ.એસ.આઈ નો આદેશ
કોરોનાનો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને સૂચના આપી
રાજકોટની સોની બજારમાં છેલ્લા 50 દિવસમાં 40 ના મોત સક્રમણ અટકાવવા કાલથી સોની બજાર 8 દિવસ બંધ
રાજકોટ મહાપાલિકાના 17 કોમ્યુનીટી હોલનું આજથી ઓનલાઈન બુકિંગ શરૂ,પ્રાંત અધિકારીને મંજૂરી રજૂ કરવી જરૂરી
રાજકોટથી ભાવનગર, દિવ,મહુવા,ભુજ,અને અમદાવાદની વોલ્વો આજથી શરૂ,ઓનલાઈન બુકિંગ ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે
મુંબઈની ધરામાં ફરી ખળભળાટ મુંબઈમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
રાજકોટમાં કોરોના હવે જીવલેણ બન્યો જોખમી થર્ડ સ્ટેજમાં પ્રવેશ્યો: આજે કોરોનાથી 22 દર્દીના મોત
રાજકોટ: મનપા ના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રિયા ચક્રવતીને ડ્રગ્સ કેસમાં જમીન ના મંજુર કરતા હવે રેવું પડશે જેલ માં જ -
khaskhabar Rajkot FM News Dt.4-9-2020
BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત
ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ હોવાનું પણ સામે આવ્યુ છે.
2
રશિયન ઓફિસરે હાથ આગળ કર્યો તો રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું નમસ્તે!
રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન – SCOની બેઠક માટે રશિયા પહોંચ્યા છે. રક્ષામંત્રી બુધવાર રાત્રે મોસ્કો પહોંચ્યા. આ દરમ્યાન તેમનો એક વીડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તેઓ રૂસના અધિકારીઓને હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને પરંપરાગત રીતે નમસ્તે કરતા દેખાયા છે. -
Khas Khabar Rajkot FM News Dt.2-9-2020
Khas Khabar Rajkot FM News Dt.2-9-2020
1
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારમાં સેનાનો એક જુનિયર કમિશન અધિકારી શહીદ થયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને આધારે આ વિગતો જાહેર કરી છે. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં ફરીથી એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
2
દેશની સરકારી અને સૌથી મોટી વીમા કંપની એલઆઈસી 65 વર્ષની થઈ ચુકી છે. 1 સપ્ટેમ્બર, 1956એ કેન્દ્ર સરકારે 5 કરોડ રૂપિયાની રકમથી આ કંપનીની શરૂઆત કરી હતી. આજે LIC સૌથી મોટી વીમા કંપની બની ગઈ છે. જો તમે પણ પોતાની દિકરીના ભવિષ્યને લઈને ચિંતિત છો તો તેના માટે એલઆઈસીની આ પોલિસી લઈ શકો છો. LICની એક એવી પોલિસી છે જેમાં LICએ દિકરીઓના લગ્ન માટે જ બનાવી છે. આ પોલિસીનું નામ છે 'કન્યાદાન યોજના'. આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબથી લગભગ 3600 રૂપિયાના મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. પરંતું જો કોઈ તેનાથી ઓછા પ્રીમિયમ અથવા તેનાથી વધારે પ્રીમિયમ પણ આપવું જોઈએ તો આ પ્લાન મળી શકે છે.
3
કેન્દ્ર સરકારે એક એવી યોજના બનાવી છે જેમાં યુવાન ખેડૂત ગામમાં સોઈલ ટેસ્ટિંગ લેબ બનાવી કમાણી કરી શકે છે. લેબ સ્થાપિત કરવામાં 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. જેને 75 ટકા એટલે કે, 3.75 લાખ રૂપિયા સરકાર આપશે. જેમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા સબ્લિડી સંબંધિત રાજ્ય સરકાર પાસેથી મળશે. સરકાર જે પૈસા આપશે તેમાંથી 2.5 લાખ રૂપિયાની તપાસ મશીન, રસાયણ અને પ્રયોગશાળા ચલાવવા માટે અન્ય જરૂરી વસ્તુ ખરીદવા પર ખર્ચ થશે. કોમ્પ્યૂટર, પ્રિંટર, સ્કેનર, GPS ની ખરીદ પર 1 લાખ રૂપિયા લાગશે.
4
Ladakh સરહદે તનાવ સર્જ્યા બાદ ચીને હવે પેંતરો બદલ્યો હોય એમ ઉત્તરાખંડ સરહદે તનાવ સર્જવાનું અટકચાળું કર્યું હતું. ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી આપી હતી. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા. સાથોસાથ કેન્દ્ર સ